WELCOME TO THE WORLD OF SUJOK

Here you will get 360° idea of SuJok & Onnuri Sciences introduced by Korean scientist and Philosopher Prof. Park, Jae Woo.

On the day of his 1st Anniversary of his Great Smile Voyage from This World, we, float this new website in the Smile Memories of our Beloved and Most Honored Prof. Park.

O my dear professor, you know very well, what ever I do for SuJok, it leads us towards Your Dream. It is only You who guided me and pushed me saying,

“You are on the Right Path, go ahead, I am with you.” And “When you will be successful towards any institutional education of SuJok Therapy, if need be, I shall come and live with you.”

Based on your guarantee, dear professor, we could achieve the milestone. This entire program is dedicated to you. As per your guarantee, I can feel your presence whenever I perform SuJok, whether it is Diagnostics, Treatment or Training.

On behalf of my entire TEAM, I extend my homage to you for your delightful journey AHEAD.

કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/ cervical vertebra in sujok therapy

કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી
કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/cervical vertebra in sujok therapy



કમર ડોકના મણકાની સારવારમાં નિષ્ણાત - સુજોક થેરાપી|Treatment for lumber and neck/ cervical vertebra in sujok therapyએક ૨૭-૨૮ વર્ષના બહેન મારી પાસે આવ્યાં. કહે, પાંચેક વર્ષથી, બાબાના જન્મ પછી કમરના દુ:ખાવાથી હેરાન - પરેશાન છું. રસોઇ થતી નથી. પતિદેવ માટે ચા બનાવવા પણ ઊભું રહેવાતું નથી. પગથીયા ચડવાની મુશ્કેલીને કારણે બેડરૂમ પણ પહેલા માળથી નીચે ફેરવી નાંખવો પડયો છે. સારા સારા ઓથોંપેડિક અને ન્યૂરો સર્જનોને બતાવ્યું, દવા લીધી. કોઇ ફાયદો નથી. કમરના મણકાના ઓપરેશનની સલાહ મળી છે. સફળતાના ચાન્સ ૫૦-૫૦ ટકા છે તેવી પણ સ્પષ્ટ સલાહ નિષ્ણાતે આપી છે. પણ મારે વગર ઓપરેશને સારા થવું છે. - વાત કરતા કરતા આંખોમાંથી પાણી સતત વહ્યા કરે!

સુજોક થેરાપીની નિદાનની આગવી પધ્ધતિ વડે મને જણાયું કે એ બહેનને મૂત્રાશયની ઉર્જા માં ડ્રાયનેશ ઊજા<નો પ્રવાહ અધિક માત્રામાં વહી રહ્યો છે.

એમને સુજોક સ્ટીમ્યૂલેટર્સ કહેવાતી માત્ર ૪ બારીક સોય દ્વારા તેના મૂત્રાશયના મેરિડિયન (ઉર્જા પ્રવાહનો રસ્તો)માં ડ્રાયનેશ ઉર્જાને ઘટાડવા તથા હીટ ઉર્જા ને વધારવા માટેની સારવાર આપી ૩૦ મિનીટ બેસવાનું કહ્યું.

૨૦મી મિનીટે દુ:ખાવામાં રાહત જણાઇ, ચહેરા પર હાસ્ય ઝળક્યું. મારે ત્યાંથી નીકળીને એ બહેન બાજુના એપાર્ટમેન્ટમાં ૪થે માળે રહેતા એમના સંબંધીને ત્યાં મળવા ગયાં, સડસડાટ ૪ માળ ચડી ગયાં! તેમની તકલીફ સાવ જ ભૂલાઇ ગઈ! આ બહેનને બધું મળીને આશરે ૩૫-૪૦ સારવાર આપી, સંપૂર્ણપણે સારા થયા.
ઉર્જા  સ્તરની સારવારનું વર્ણન વાંચીને કોઇ મિત્ર તેનો પ્રયોગ ન કરે. ચોક્કસ પરિસ્થિતિનું નિદાન થાય બાદ જ આ ઉર્જા  સારવાર અપાય. નહિંતર નુકશાન પણ થઇ શકે છે. ઉર્જા ને બરાબર સમજનાર વ્યક્તિ કે સુજોક થેરાપીના નિષ્ણાત જ આ સારવાર આપી શકે.

ફૂલછાબ ૦૩/૧૨/૨૦૦૪

No comments:

Post a Comment